અમદાવાદના વટવા તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત
અમદાવાદના વટવા તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત
Published on: 22nd July, 2026

અમદાવાદના વટવા ખાતે વાંદરવટ તળાવમાં ગઇકાલે સાંજે ન્હાવા કૂદેલા બે બાળકો ગુમ થયા હતા. ફાયરબ્રિગેડ, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા આખી રાત શોધખોળ ચલાવવામાં આવી હતી. આજે સવારે બંને બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં શોક છવાયો હતો. મૃતકોની ઓળખ 13 વર્ષીય અરમાન ઈસ્લામુદ્દીન અને મોહમ્મદ અલી યાદઅલી સૈયદ તરીકે થઈ છે. આ બંને બાળકો વટવામાં જિયા મસ્જિદ નજીક રહેતા હતા. વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.