સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
Published on: 22nd July, 2026

અમરેલીમાં સારા વરસાદ બાદ સાવરકુંડલામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકટ બની છે. જેસર રોડ પરની મધુવન, સરદાર પટેલ, ગીતાંજલિ સહિત અનેક સોસાયટીઓમાં ગંદા પાણી ફરી વળતાં સ્થાનિકો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ અને મચ્છરોના ઉપદ્રવથી ભયભીત છે. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના ઘર પાસે પણ આ સ્થિતિ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતાં ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.