વિસાવદરમાં ભાજપની હાર માટે નબળા સંગઠનને દોષી
વિસાવદરમાં ભાજપની હાર માટે નબળા સંગઠનને દોષી
Published on: 22nd July, 2026

જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં, વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આક્ષેપો બાદ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ કબૂલ્યું કે વિસાવદરમાં ભાજપનું સંગઠન નબળું છે. સંગઠનની નિષ્ક્રિયતાને કારણે સ્વ. કેશુભાઈ પટેલના વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડી શકાયા નહીં, પરિણામે પાર્ટી હારી. ઈટાલિયાએ કાલાવડ ગામમાં ગ્રામ પંચાયત ન બનવા અંગે કરેલા આક્ષેપોના જવાબમાં ભાલાળાએ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીથી કામ અટક્યું છે. તેમણે ઈટાલિયાને પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવા કહ્યું, માત્ર સોશિયલ મીડિયામાં બોલવાથી કે દેખાડો કરવાથી પ્રજાના પ્રશ્નો હલ થતા નથી.