અંકલેશ્વરમાં લ્યૂપિન દ્વારા યોજાયો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
અંકલેશ્વરમાં લ્યૂપિન દ્વારા યોજાયો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
Published on: 15th June, 2026

અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે લ્યૂપિન લિમિટેડ દ્વારા જિનવાલા શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લ્યૂપિનના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે મળી પાણી બચાવવા, વૃક્ષો વાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પ્રકૃતિના સંરક્ષણના મહત્વ પર ચર્ચા કરી. શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફે આવા કાર્યક્રમો યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે પ્રશંસનીય ગણાવ્યા. લ્યૂપિને ઈવેન્ટ કોઓર્ડિનેટર ગજેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માન્યો.