ભરૂચમાં 685 છાત્રો ખાનગીમાંથી સરકારી શાળામાં
ભરૂચમાં 685 છાત્રો ખાનગીમાંથી સરકારી શાળામાં
Published on: 24th June, 2026

ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પર વાલીઓનો વિશ્વાસ વધી રહ્યો છે. આ શૈક્ષણિક વર્ષમાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને કુલ 176 સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. ભરૂચ અને અંકલેશ્વર તાલુકાઓમાં આ સંખ્યા સૌથી વધુ છે, જ્યાં અનુક્રમે 184 અને 183 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળક-કેન્દ્રિત શિક્ષણ જેવી સુવિધાઓ આ બદલાવ પાછળ મુખ્ય કારણો છે. આ દર્શાવે છે કે સરકારી શાળાઓ હવે પ્રથમ પસંદગી બની રહી છે.