2.30 કરોડની ચોરાયેલી-પડાવી લેવાયેલી મતા 419 લોકોને 'તેરા તુજકો અર્પણ' હેઠળ પરત
2.30 કરોડની ચોરાયેલી-પડાવી લેવાયેલી મતા 419 લોકોને 'તેરા તુજકો અર્પણ' હેઠળ પરત
Published on: 24th June, 2026

વડોદરા શહેર પોલીસે ગુનાનો ભોગ બનનાર નાગરિકોને આર્થિક અને માનસિક રીતે રાહત આપવા 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સાયબર ફ્રોડ, વાહન ચોરી, સ્નેચિંગ અને ઘરફોડ ચોરી જેવા વિવિધ ગુનાઓમાં ચોરાયેલો તથા ગુમ થયેલો કુલ રૂ.2.30 કરોડનો મુદ્દામાલ તેના 419 મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને ન્યાય અપાવવાનો અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો છે.