પ્રાંતિજમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
Published on: 24th June, 2026

પ્રાંતિજ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. શહેર સંગઠન મંત્રી કૈલાસબેન રાઠોડના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ ડૉ. મુખર્જીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશસેવા, દેશપ્રેમ અને અખંડ ભારતના તેમના સંકલ્પને યાદ કર્યો. આ પ્રસંગે મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.