શિક્ષક દિને જ ગુરુ-શિષ્યના સંબંધોને કલંક!
શિક્ષક દિને જ ગુરુ-શિષ્યના સંબંધોને કલંક!
Published on: 07th September, 2026

વાવ-થરાદમાં શિક્ષક દિને જ એક ચોંકાવનારી ઘટના બની, જેમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લજવવામાં આવ્યા. સરહદી વિસ્તારની એક સરકારી માધ્યમિક શાળાના આચાર્ય પર 15 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, આચાર્ય મનિષ પરમારે શાળાના રૂમમાં સગીરાને બોલાવી, દરવાજો બંધ કરી તેની મરજી વિરુદ્ધ કૃત્ય કર્યું અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે, જેનાથી વાલીઓ અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.