રાણીપમાં રાત્રે પથ્થરમારો: એક જ સમાજના બે જૂથે સામાન્ય બાબતમાં સામસામે પથ્થર ફેંક્યા
રાણીપમાં રાત્રે પથ્થરમારો: એક જ સમાજના બે જૂથે સામાન્ય બાબતમાં સામસામે પથ્થર ફેંક્યા
Published on: 10th March, 2026

અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સામાન્ય બાબતે દંતાણી સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બલોલનગરની વિશ્વકર્મા સોસાયટીમાં બહારથી આવેલા મહેમાનો મુદ્દે થયેલી બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો થયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને ૬ લોકોની અટકાયત કરી છે. સદનસીબે આ પથ્થરમારામાં કોઈને ઇજા પહોંચી નથી.