નવસારીના ઘેજ મંડળીમાં ખાતર કૌભાંડ
નવસારીના ઘેજ મંડળીમાં ખાતર કૌભાંડ
Published on: 12th September, 2026

ચીખલી તાલુકાની ઘેજ સહકારી મંડળીમાં ખાતર વેચાણમાં ગેરરીતિની ફરિયાદ બાદ ખેતીવાડી વિભાગની તપાસમાં ખેત મજૂરોના નામે પણ ખાતર ખરીદીના બીલ બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ત્રણ અધિકારીઓની ટીમ દ્વારા ખેડૂતોના નિવેદનો લેવાઈ રહ્યા છે. કેટલાક લોકોની જમીન ન હોવા છતાં તેમના નામે બીલ ઉધારાયા છે. મંડળીમાંથી સસ્તા અનાજ લેવા જતાં લોકોની જાણ બહાર તેમના અંગૂઠાનો ઉપયોગ ખાતરના બીલ માટે કરાયો હોવાની આશંકા છે. નિષ્પક્ષ તપાસ બાદ જ ચોક્કસ હકીકત બહાર આવશે.