ખેરાલુના નંદાલીમાં અંધારામાં થયેલ ફાયરીંગની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
ખેરાલુના નંદાલીમાં અંધારામાં થયેલ ફાયરીંગની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
Published on: 12th September, 2026

મહેસાણાના ખેરાલુ તાલુકાના નંદાલી ગામમાં મોડી રાત્રે થયેલ ફાયરીંગની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી, જેમાં કનકસિંહ ઉદાજી રાજપૂત નામની વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરીંગ કરનાર ઠાકોર કીરણજી અજમલજી અને તેના સાથીદાર ચૌહાણ દશરથસિંહ રણછોડસિંહને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેવડ-દેવડનો વ્યવહાર કે ભુંડ મારવા ફાયરીંગ કર્યું તે સહિતના અલગ-અલગ મુદ્દાઓ પર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.