જામનગરની ઇન્ડિયન બેંકમાંથી ૩૯.૪૮ લાખના દાગીના ચોરી
જામનગરની ઇન્ડિયન બેંકમાંથી ૩૯.૪૮ લાખના દાગીના ચોરી
Published on: 06th September, 2026

જામનગરમાં ઇન્ડિયન બેંકમાંથી રૂ.૩૯.૪૮ લાખના ગીરવે મુકાયેલા સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ થયો છે. બેંકના પટાવાળાએ અસલ દાગીના ચોરી કરી તેના બદલે નકલી દાગીના મૂકી દીધા હતા અને આ દાગીના તેના મિત્રને વેચવા આપ્યા હતા. બંને મિત્રો ચાંદી બજારમાં આ દાગીના વેચવા આવ્યા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા. આ બનાવમાં બેંકના પટાવાળા હસમુખભાઈ પારિયા અને તેના મિત્ર વિજયભાઈ આલાભાઈ વધોરાની ધરપકડ કરવામાં આવી છે, અને કોર્ટે તેમને ૩ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, પટાવાળાને શેર બજારમાં થયેલા નુકસાનને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.