અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય પટેલને જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્તિ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય પટેલને જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્તિ
Published on: 03rd June, 2026

ઇસ્કોન ઓવરબ્રિજ પર બેફામ સ્પીડ ડ્રાઇવિંગ કરીને નિર્દોષ લોકોનો જીવ લેનારો તથ્ય પટેલ પોણા ત્રણ વર્ષે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો છે. આ દરમિયાન તેને મીડિયાએ સવાલ કરતા તે મૌન રહ્યો હતો. જુલાઈ 2023ના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી હતી. તેના નિયમિત જામીન મંજૂર થયા બાદ, તેણે ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ રૂપિયા ડિપોઝિટ કરાવ્યા છે. આરોપી તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના અને 14 દિવસે જેલમાંથી બહાર આવ્યો.