અમદાવાદ દુષ્કર્મ કેસ: એક્સપાયર લાયસન્સ ધરાવતી સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો દાખલ
અમદાવાદ દુષ્કર્મ કેસ: એક્સપાયર લાયસન્સ ધરાવતી સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો દાખલ
Published on: 11th August, 2026

અમદાવાદના આનંદનગર PGમાં થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જે સિક્યોરિટી એજન્સીમાં આરોપી નોકરી કરતો હતો, તેનું લાયસન્સ 4 મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયું હતું. લાયસન્સ રિન્યુ કર્યા વિના બેદરકારીપૂર્વક એજન્સી ચલાવવા બદલ પોલીસે કંપનીના માલિક રામપ્રકાશ તિવારી સામે ગુનો નોંધ્યો છે. આરોપી સિક્યોરિટી ગાર્ડને કોઈપણ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી. તપાસમાં માલુમ પડ્યું કે 2015 થી એજન્સી ચલાવનાર માલિકે 2021 માં લાયસન્સ રિન્યુ કરાવ્યું હતું, જે 2026 માં પૂર્ણ થયું હતું.