જામનગરના બેડી વિસ્તારમાં પથ્થરમારાના ચકચારી પ્રકરણમાં 4 આરોપીઓની ધરપકડ
જામનગરના બેડી વિસ્તારમાં પથ્થરમારાના ચકચારી પ્રકરણમાં 4 આરોપીઓની ધરપકડ
Published on: 10th September, 2026

જામનગરના બેડી વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા પથ્થરમારા અને માથાકૂટના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં હુશેન હારુનભાઈ વાઘેર, કાદર હનીફભાઈ વાઘેર, નાસીર હનીફભાઈ વાઘેર અને સુલતાન ગનીભાઈ વાઘેરનો સમાવેશ થાય છે. તેમની સામે IPC અને GP Act હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત આપી છે.