જામનગરમાં પાનની પીચકારી મુદ્દે ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો
જામનગરમાં પાનની પીચકારી મુદ્દે ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો
Published on: 10th September, 2026

જામનગરના ડીવાઇન હોસ્પિટલ પાછળ આવેલા રીઘ્ધિ-સિઘ્ધિ એપાર્ટમેન્ટમાં પાનની પીચકારી મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ એક મજૂર પર છરી, કુહાડી તથા ધોકા વડે હુમલો કર્યો હતો. ફરિયાદી ઇસ્માઇલ કાસમભાઈ સીપાઈના જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. આ ઘટના બાદ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ઇરફાન આરબ, સાહિલ ઉર્ફે બોદુ તથા સાહિલના મામા મમલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.