જામજોધપુરના ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપવાસ પર
જામજોધપુરના ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપવાસ પર
Published on: 10th September, 2026

જામજોધપુર તાલુકાના ફુલઝર (કોબા) ડેમ વિસ્તારમાં કેનાલ મારફતે સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ છે. પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં પાણી ન મળતાં 15 જેટલા ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ છે. ખેડૂતોએ વાવેતરમાં કરેલા ખર્ચને બચાવવા માટે તાત્કાલિક પાણીની માંગ કરી છે. સમસ્યા દૂર નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી છે.