બોડેલી SBI ચલામલી શાખા દ્વારા મૃત ખેડૂતના પરિવારને વીમાની રકમ રૂા. 2 લાખની સહાય.
બોડેલી SBI ચલામલી શાખા દ્વારા મૃત ખેડૂતના પરિવારને વીમાની રકમ રૂા. 2 લાખની સહાય.
Published on: 23rd May, 2026

બોડેલી તાલુકાના રાજબોડેલી ગામના સ્વ. સંજયસિંહ ખુમાનસિંહ પરમાર, જેમણે SBI ચલામલી શાખામાંથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ રૂા. 2 લાખનો વીમો લીધો હતો. તેમનું એક માસ અગાઉ નેચરલ ડેથ થયું હતું. મૃતક ખેડૂતના પત્ની નિલમબેન પરમારે બેંકનો સંપર્ક કર્યો. SBI ચલામલી શાખાના મેનેજર આશિષભાઈ વલોદરીયા અને તેમના સ્ટાફે કાર્યવાહી કરી, માત્ર પંદર દિવસમાં નિલમબેનને રૂા. 2 લાખનો વીમા ચેક અર્પણ કર્યો.