ટુંડાવમાં નવીન રોડ તોડી ગટર લાઇન: કામગીરી અટકાવાઇ.
સાવલી તાલુકાના ટુંડાવ ગામે રૂ.15 લાખના નવીન રોડને તોડી ગટર લાઈન નાખતા ગ્રામજનોએ વિફરી કામગીરી અટકાવી. વિકાસના વિરોધી નથી, પણ યોગ્ય આયોજન વિના રોડ તોડવા સામે વિરોધ છે. પંચાયત પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તપાસ અને કાર્યવાહીની માંગ. હાલ ગટરનું કામ સ્થગિત.
ટુંડાવમાં નવીન રોડ તોડી ગટર લાઇન: કામગીરી અટકાવાઇ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC, JIO UPSC ભવન અને સ્વામી વિવેકાનંદ સ્ટડી સેન્ટર દ્વારા IAS-IPS બનવાનું વિદ્યાર્થીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અહી નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે, જેમાં રુ. 1000 થી 8000 સુધીની રિફંડેબલ ડિપોઝિટ લેવાય છે. 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC પાસ કરી ઓફિસર બન્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: IAS/IPS બનવા વિદ્યાર્થીઓ માટે અદભૂત તક.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થયો છે. 6 શહેરોમાં પારો 42°Cને પાર પહોંચ્યો છે, જેમાં 44.5°C સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં 43°C થી ઉપર તાપમાન નોંધાયું. સુરતમાં 6.2°C વધુ તાપમાનને કારણે તીવ્ર હીટવેવનો અનુભવ થયો. આગામી 2 દિવસ તાપમાન સ્થિર રહેશે, પછી 2-3 ડિગ્રી ઘટશે.
6 શહેરમાં 42°C પાર, સુરેન્દ્રનગર સૌથી ગરમ, તાપમાનમાં 2°C વધારો.
આજનો પેટ્રોલ ડીઝલ ભાવ: ક્રૂડ ઓઇલ તેજી, જાણો લેટેસ્ટ રેટ.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 21 ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગાર સુબોધ રામાણીને સચિન વિસ્તારમાં પાનના ગલ્લા પર લૂંટના કેસમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ મફતમાં માવો ખાઈ પૈસા માંગતા વેપારીને માર મારી 7-8 હજારની લૂંટ ચલાવી હતી. તેની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ચોરી સહિત કુલ 21 ગુના નોંધાયેલા છે અને 3 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.
સુરત: 21 ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાનના ગલ્લા પર લૂંટ કેસમાં દબોચ્યો.
અમદાવાદ મેટ્રો સમયમાં ફેરફાર.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
રાજકોટના સામા કાંઠાની ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. પોલીસને દારૂમાં કેમિકલ ભેળસેળની શંકા છે. Forensic PM બાદ સચોટ કારણ જાણી શકાશે. આ ઘટનાથી દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે યુવાનોના શંકાસ્પદ મોત.
સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
સુરતમાં પહેલી જૂનથી કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરી દરમાં રૂ.15નો વધારો થશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર અને વધતી મોંઘવારીને કારણે ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને આ નિર્ણય લીધો છે. હાલ રૂ.100-120 દર, નવા દર રૂ.115-135 થશે. આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટ અને વેપારીઓના ખર્ચમાં વધારો થશે.
સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
સુરતમાં બેંક લૂંટનો આરોપી ઝડપાયો, રૂમાલ બતાવી કર્યું હતું કૃત્ય.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર.
ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમીની અસહ્ય લપેટમાં છે. સૌરાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે પારો 41°Cને પાર થયો, જેમાં સુરેન્દ્રનગર 44.5°C સાથે સૌથી ગરમ રહ્યું. રાજકોટ અને અમરેલીમાં પણ તાપમાન 43°Cથી ઉપર નોંધાયું. આગામી પાંચ દિવસ સુધી તાપમાન 40°Cથી ઉપર રહેવાની સંભાવના છે, જોકે 2-3 દિવસમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. ચોમાસુ 26 મેની આસપાસ કેરળમાં દસ્તક દઈ શકે છે.
ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા: 7 શહેરોમાં તાપમાન 41°C પાર.
સચિન GIDC માંથી મોબાઇલ ચોર ઝડપાયો, પોલીસે વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલ્યા.
સુરત પોલીસે સચિન GIDC વિસ્તારમાંથી મોબાઇલ ચોરનાર જમીલ તૈલી નામના રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ૩ મોંઘા મોબાઇલ અને ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ કબજે કરી, જેની કિંમત ૯૭,૦૦૦ રૂપિયા છે. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
સચિન GIDC માંથી મોબાઇલ ચોર ઝડપાયો, પોલીસે વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલ્યા.
દીવમાં કાર અકસ્માત: પિતા-પુત્રના મોત, માતા ઘાયલ.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાત્રિના સમયે નાગવા રોડ પર બે કાર સામસામે અથડાતા મધ્યપ્રદેશના પિતા (ઉંમર 50) અને પુત્ર (ઉંમર 16)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકના પત્ની અને ભત્રીજા ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. પરિવાર જૂનાગઢથી દીવ ફરવા આવ્યો હતો. સુરતના કાર ચાલક સહિત ત્રણ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા.
દીવમાં કાર અકસ્માત: પિતા-પુત્રના મોત, માતા ઘાયલ.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતોને રોકવા, NHAI અને RTO દ્વારા વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. 120 kmph થી વધુ ઝડપે વાહન ચલાવનાર કાર ચાલકોને ₹1500નો દંડ ઓનલાઈન મોકલવામાં આવશે. કાર માટે 120, બસ/ટ્રક માટે 100, અને મોટા વાહનો માટે 80 kmph ની સ્પીડ લિમિટ નક્કી કરાઈ છે.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્પીડ લિમિટ.
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.ના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિ.ના રવાલ કેમ્પસ ખાતે ભવ્ય મેગા જોબફેર-2026 યોજાયો હતો.જેમાં દેશ-વિદેશની પ્રતિષ્ઠિત 35 જેટલી કંપનીએ ભાગ લીધો હતો. જેમાં એપોલો ટાયર્સ, MRF, હિલ્ટી, RR કાબેલ, એક્સિસ બેંક,રિલાયન્સ જિયો, ટોરેન્ટ ફર્મા અને લુપિન જેવી નામાંકિત બ્રાન્ડ્સ રહી હતી. આ મેગા જોબફેરમાં ફર્મા, ઇન્ફેર્મેશન ટેકનોલોજી (IT),એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં કુલ 1000થી વધુ ખાલી જગ્યા 800થી વધુ સ્નાતક, અનુસ્નાતક વિદ્યાર્થીએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
વડોદરાના વાઘોડિયાની ITM વોકેશનલ યુનિ.માં મેગા જોબફેર-26 સંપન્ન
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક.
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસાયટીમાં એક હડકાયા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આ આખલાએ બે મહિલાઓને ઇજા પહોંચાડી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ક્યૂ ટીમને બોલાવી આખલાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગેવાનો દ્વારા આવા પશુઓને રસી આપવાની પણ કામગીરી કરાશે.
છોટાઉદેપુરના ગુરુકૃપા સોસા.માં આખલાએ મચાવ્યું આતંક.
ખેડૂતો ડીઝલ માટે કારબા સાથે કતારમાં.
સંખેડા તાલુકામાં ડીઝલની અછતને કારણે ખેડૂતો પરેશાન છે. ખરીફ્ પાક માટે ટ્રેક્ટર અને ડંકી ચલાવવા ડીઝલ જરૂરી છે. મર્યાદિત જથ્થાને કારણે લાંબી લાઇનો લાગે છે. હાડોદ ખાતે પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી પડતાં ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. તંત્રએ વધુ જથ્થો પૂરો પાડવાની કાર્યવાહી કરવી જોઈએ.
ખેડૂતો ડીઝલ માટે કારબા સાથે કતારમાં.
ભરૂચના ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
આમોદના ઇખર સ્થિત હૉલમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન ઈન્ડિયા ચેપ્ટર (શિક્ષણ સમિતિ)તેમજ પ્રોગેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર (યુ કે)કમિટીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.યુનુસભાઇ તલાટીએ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેજસ્વી તારલાઓને મોમેન્ટો તેમજ રોકડ રકમ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ વક્તાઓએ સેમિનારમાં શિક્ષણ બાબતે હાજરજનોને અને વિશેષ કરીને વાલીઓને માહિતી આપી હતી. ભરૂચ વ્હોરા પટેલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલભાઇ પાદરવાળાએ પણ છાત્રોને શિક્ષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
ભરૂચના ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ.
અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ્ લિવિંગ દ્વારા ફઉન્ડેશનની પૂર્ણતાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે કમલામ પાર્ટી પ્લોટ, જીઆઈડીસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 50થી વધુ દાતાઓએ ભાગ લઈને રક્તદાન કરી સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ હતો.
અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ.
પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવેની સાઈડમાં ખાબકયું.
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાની વિશાલ ખાડી જંગલ ખાતાના પ્રવેશ દ્વાર પાસે પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવે રોડની સાઈડમાં ખાબકયું હતું. ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. ડ્રાઈવર અને કિલનરનો આબાદ બચાવ થયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. કન્ટેનરને નુકસાન થયું હતું અને ટ્રાફિકજામ થયો હતો.
પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવેની સાઈડમાં ખાબકયું.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો.
ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવિણસિંહ પ્રભાતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. નવચંડી યજ્ઞ યોજાયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી સત્યનારાયણ અને ગંગા ભવાની માતાજીની મહાઆરતી ઉતારાઇ આવી હતી.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો.
ભરૂચ ખાતે પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન યોજાયું.
ભરૂચ ખાતે પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન રવિવારે યોજાયું. આ પ્રસંગે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહ વિશેષ અતિથિ હતા. કાર્યક્રમમાં પ્રાર્થના, પ્રાસંગિક પ્રવચનો, વાર્ષિક અહેવાલ અને હિસાબોની રજૂઆત થઈ. સભ્યોને સ્મૃતિ ચિહન અપાયા.
ભરૂચ ખાતે પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન યોજાયું.
ભરૂચ સરકાર ગ્રૂપ યુવા મંડળ દ્વારા 300 લિટર ઠંડી છાશનું વિતરણ.
ભરૂચ સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા શહેરના પાંચબત્તી સર્કલ ખાતે આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરી ગરમીથી ત્રસ્ત લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરની તાપમાનભરી ગરમીમાં લોકોને ઠંડક અને તાજગી મળતા આ સેવાકીય કામગીરીને સ્થાનિકોમાંથી સારો પ્રતિસાદ અને સરાહના મળી હતી.
ભરૂચ સરકાર ગ્રૂપ યુવા મંડળ દ્વારા 300 લિટર ઠંડી છાશનું વિતરણ.
ભરૂચમાં અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો.
ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામમાં રાવ પરિવારની કૂળદેવી મહાલક્ષ્મી માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી અવસરે નવચંડી યાગ સંપન્ન થયો. મુખ્ય યજમાન નરપતભાઇ રાવ પરિવારના હસ્તે પ્રતિમા શૃંગાર, નૂતન ધ્વજારોહણ અને વેદોક્ત વિધિસર યજ્ઞ પ્રારંભ કરાયો. મોટી સંખ્યામાં ભક્તિપ્રિય જનતાએ આરતી, ધૂન, સ્તુતિગાન અને દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
ભરૂચમાં અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
ભરૂચના જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરે યોગીજી મહારાજના 134મા પ્રાગટ્યદિન નિમિત્તે યોગીપર્વ યોજાયું. પૂ. વૈરાગ્યપ્રિય સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગ મહિમા અને આધ્યાત્મિક જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા. હરિભક્તોએ યજમાન, પ્રસાદ, રસોઈ સહિત વિવિધ સેવાઓ ઉત્સાહપૂર્વક કરી. મંદિર પરિસર ભક્તિમય બન્યું.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
નવા સાંઢિયાપુલથી રાજકોટ-જામનગર વાહનચાલકોને ફાયદો.
રાજકોટ-જામનગર રોડ પર 74 કરોડના ખર્ચે બનેલો નવો ફોરલેન સાંઢિયાપુલ તૈયાર. 46 વર્ષ જુના ટુ-લેન પુલને તોડીને આ ઓવરબ્રિજ બનાવાયો. આ બ્રિજ શરૂ થતાં દરરોજ અંદાજે 1 લાખ વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થશે. ઉપરાંત, શહેરની અંદરનો ટ્રાફિક પણ ઘટશે. ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલ સુધી પહોંચવાનું પણ સરળ બનશે.