Bharuch: ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Bharuch: ઇખર ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Published on: 18th May, 2026

પાલેજ : આમોદના ઇખર સ્થિત હૉલમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન ઈન્ડિયા ચેપ્ટર (શિક્ષણ સમિતિ)તેમજ પ્રોગેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર (યુ કે)કમિટીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.યુનુસભાઇ તલાટીએ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેજસ્વી તારલાઓને મોમેન્ટો તેમજ રોકડ રકમ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અલગ અલગ વક્તાઓએ સેમિનારમાં શિક્ષણ બાબતે હાજરજનોને અને વિશેષ કરીને વાલીઓને માહિતી આપી હતી. ભરૂચ વ્હોરા પટેલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલભાઇ પાદરવાળાએ પણ છાત્રોને શિક્ષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું.