ગીરના નેસડાઓમાંથી માલધારીઓનું પશુધન સાથેનું ઉનાળામાં સ્થળાંતર
ગીરના નેસડાઓમાંથી માલધારીઓનું પશુધન સાથેનું ઉનાળામાં સ્થળાંતર
Published on: 07th March, 2026

દર વર્ષે ઉનાળામાં ગીરનું જંગલ ખાલીખમ થઇ જાય છે. જંગલમાં ઘાસચારો ખૂટી પડતા પશુધનનો નિર્વાહ એક પડકાર બની જાય છે. માલધારીઓ હંગામી સ્થળાંતર કરવા મજબુર બને છે. ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ફેલાયેલ ગીરના જંગલમાં વસવાટ કરતા માલધારીઓ માટે ઉનાળાની ઋતુ એક કસોટી સમાન હોય છે. આ એક અનિવાર્ય પરંપરા છે.