ગટરોમાં લોકોને પડવાથી બચાવવા મેનહોલ રેલગાર્ડની પ્રતિકૃતિ
ગટરોમાં લોકોને પડવાથી બચાવવા મેનહોલ રેલગાર્ડની પ્રતિકૃતિ
Published on: 14th July, 2026

ખુલ્લી ગટરોમાં પડીને થતાં નિર્દોષ નાગરિકોનાં મૃત્યુને કારણે મહાપાલિકાની ટીકા થતાં, તેમણે હવે મેનહોલ રેલગાર્ડ નામની નવી જાળી એલ વોર્ડમાં પ્રાયોગિક ધોરણે ગોઠવવાનો નિર્ણય લીધો છે. આ ચોરસ આકારની પ્રતિકૃતિ સેવાભાવી સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. મુંબઈનાં મેયર રિતુ તાવડે અને એડિશનલ કમિશનર અભિજિત બાંગરે તેનું નિરીક્ષણ કર્યું અને અમલ માટે સૂચનાઓ આપી. તેની દ્રશ્યતા વધારવા રિફ્લેક્ટર લગાવવાની સલાહ અપાઈ. આ રેલગાર્ડ મજબૂત અને સાનુકૂળ છે.