નર્મદાના સાગબારાના ખોચરપાડા ગામનો જર્જરિત ચેકડેમ
નર્મદાના સાગબારાના ખોચરપાડા ગામનો જર્જરિત ચેકડેમ
Published on: 20th June, 2026

સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે બનાવેલા ચેકડેમોની જાળવણીના અભાવે તે જર્જરિત બની રહ્યા છે. સાગબારા તાલુકાના ખોચરપાડા ગામનો નદી ઉપરનો મોટો ચેકડેમ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ડેમમાં પાણી સંગ્રહ ન થતાં ઉનાળુ પાક માટે સિંચાઈના પાણી મળતા બંધ થઈ ગયા છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. પશુઓ અને વન્યજીવો માટે પણ પીવાના પાણીની તંગી સર્જાઈ છે. લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ ચેકડેમનું તાત્કાલિક સમારકામ અથવા નવો ચેકડેમ બનાવવાની માંગ ઉઠી છે.