PM મોદીના જન્મદિવસે દીવડા પ્રગટાવવા સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી
PM મોદીના જન્મદિવસે દીવડા પ્રગટાવવા સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની ફરજિયાત હાજરી
Published on: 18th September, 2026

PM મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં સાંજે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશને પગલે સરકારી કોલેજોમાં પણ આ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને નાછૂટકે રોકી રાખવામાં આવતા ભારે વિરોધ ઉઠ્યો છે. વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં તો મીડ સેમેસ્ટર પરીક્ષાનો સમય બદલીને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર રહેવા મજબૂર કરાયા હતા. આ બાબતને લઈને વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અન્ય કોલેજો અને શાળાઓમાં પણ હાજરી ફરજિયાત બનતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં મુશ્કેલી અને રોષ જોવા મળ્યો હતો.