ઉમરગામના સંજાણ નજીક કાર વૃક્ષ સાથે અથડાતાં 3 યુવાનોના દર્દનાક મોત
ઉમરગામના સંજાણ નજીક કાર વૃક્ષ સાથે અથડાતાં 3 યુવાનોના દર્દનાક મોત
Published on: 18th September, 2026

વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ નજીક ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાપીથી ઉમરગામ પરત ફરી રહેલી કાર રોડ પરથી લપસીને વૃક્ષ સાથે અથડાતાં કારમાં સવાર પાંચ યુવાનોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.