નવસારીના બંદરરોડે ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ મિયાવાકી જંગલ: પર્યાવરણીય ક્રાંતિ.
નવસારીના બંદરરોડે ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ મિયાવાકી જંગલ: પર્યાવરણીય ક્રાંતિ.
Published on: 05th June, 2026

નવસારીના બંદરરોડે, એક ઉદ્યોગપતિએ તેમની અઢી વીઘા કિંમતી જમીન ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ નામના મિયાવાકી જંગલ માટે દાન કરી દીધી છે. આ વૃક્ષારોપણ પ્રોજેક્ટ, જે સ્ટેશન રોડ પર ગાયત્રી મંદિર પાછળ સ્થપાયો છે, તે નવસારી માટે ગૌરવ સમાન પર્યાવરણીય પહેલ છે. બે વર્ષ પહેલાં, હાર્દિકભાઈ નાયક અને હરિયાળી ગ્રુપ વચ્ચે WhatsApp પર થયેલી ટૂંકી વાતચીતે આ વિશાળ જંગલનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપનિષદના શ્લોક અનુસાર, આ જંગલનું મૂલ્ય 6 કરોડ 80 લાખ કુવા જેટલું પુણ્યશાળી છે. હાલની ગરમીની સ્થિતિમાં આવા જંગલો સમયની તાતી માંગ છે.