વૃક્ષ વાવવું, પ્લાસ્ટિક મુક્ત જીવન સ્વસ્થ સુખી ભવિષ્યની ચાવી: પર્યાવરણ દિવસ નિમિત્તે જાગૃતિ.
વૃક્ષ વાવવું, પ્લાસ્ટિક મુક્ત જીવન સ્વસ્થ સુખી ભવિષ્યની ચાવી: પર્યાવરણ દિવસ નિમિત્તે જાગૃતિ.
Published on: 05th June, 2026

દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે, જેનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. આધુનિક યુગમાં ઔદ્યોગિકીકરણ, પ્રદૂષણ અને પ્લાસ્ટિકના અતિશય ઉપયોગને કારણે પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. વૃક્ષો પર્યાવરણના સાચા રક્ષક છે, જે ઓક્સિજન આપે છે, વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. પર્યાવરણનું સંરક્ષણ દરેક નાગરિકની ફ્રજ છે. એક વૃક્ષ - એક જીવન અને પ્લાસ્ટિક મુક્ત જીવન જેવા સંકલ્પો સાથે પ્રકૃતિની રક્ષા કરવી એ આપણા સ્વસ્થ અને સુખી ભવિષ્યની ચાવી છે.