ખેડૂતને 8 લાખનો મુદ્દામાલ, પોલીસની ત્વરિત કાર્યવાહીથી રોકડ અને વીંટી પરત.
ખેડૂતને 8 લાખનો મુદ્દામાલ, પોલીસની ત્વરિત કાર્યવાહીથી રોકડ અને વીંટી પરત.
Published on: 18th May, 2026

જામનગર પોલીસે યાદવ નગરના ખેડૂત નારણભાઈ કંડોરીયાના ચોરાયેલા 7.5 લાખ રોકડા અને સોનાની વીંટી ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા. LCB અને સીટી સી ડિવિઝન પોલીસની આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોપી ઝડપાયો. રાજ્ય સરકારના 'તેરા તુજકો અર્પણ' અભિગમને સાર્થક કરતી આ કાર્યવાહીમાં, SP ડો. રવિ મોહન સૈની અને અન્ય અધિકારીઓએ ખેડૂતને મુદ્દામાલ પરત સોંપ્યો. પોતાની મહેનતની કમાણી સુરક્ષિત મળતા ખેડૂતે પોલીસનો આભાર માન્યો.