ડુંગળીના ભાવમાં થશે ફરી વધારો, સામાન્ય માણસના ખિસ્સા પર પડશે બોજ
ડુંગળીના ભાવમાં થશે ફરી વધારો, સામાન્ય માણસના ખિસ્સા પર પડશે બોજ
Published on: 14th August, 2026

દેશના મુખ્ય બજારોમાં ડુંગળીના ભાવમાં અઠવાડિયામાં 25% નો વધારો થયો છે, જે સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. મોડી વાવણી અને દક્ષિણ ભારતથી ખરીફ ડુંગળીના આગમનમાં વિલંબને કારણે વેપારીઓ ભાવમાં વધુ વધારાની અપેક્ષા રાખે છે. સરકાર ભાવ નિયંત્રણ માટે બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાની તૈયારીમાં છે, પરંતુ તેની ખરીદી પણ લક્ષ્યાંક કરતાં ઓછી રહી છે. સપ્ટેમ્બરમાં હવામાન ડુંગળીના ભાવ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.