વાંચવાં જેવાં પુસ્તકો: ઇન્દુકુમાર જાની વિશેના બે ગ્રંથ
Published on: 15th June, 2025
ગુજરાતના જાહેરજીવનમાં મહત્ત્વનું નામ ધરાવતા ઈન્દુકુમાર જાનીએ લખેલા વિવિધ લેખોનું સંપાદન બે ગ્રંથોમાં થયું છે. ‘વહાલો મારો દેશ, વહાલાં એનાં માનવી’માં ઇન્દુકુમારે લખેલાં વિશિષ્ટ વ્યક્તિત્વોની વાત છે. બીજો ગ્રંથ છે, ‘વહાલું મારું ગુજરાત, વહાલી એની સંસ્થાઓ’, જેમાં ઇન્દુકુમાર દ્વારા લખાયેલા સંસ્થાગત લેખોનો સંગ્રહ છે. ઇન્દુકુમાર જાનીએ આજીવન સામાજિક ન્યાય માટે લડત આપી અને ‘નયામાર્ગ’ સામયિક દ્વારા એ દિશામાં પત્રકારત્વ પણ કર્યુ. વ્યક્તિ વિશેના પુસ્તકમાં ‘વિનોબા’, ‘ઠક્કરબાપા’, ‘સંતબાલજી’, ‘કમલાદેવી’, ‘ફાતિમા મીર’, ‘દિલીપ રાણપુરા’, ‘કરસનદાસ મૂળજી’, ‘મેઘાણી’, ‘સાને ગુરુજી’ વગેરે જેવાં 56 વ્યક્તિચિત્રો છે. સંસ્થા વિશેના પુસ્તકમાં ‘સયાજી વિદ્યાર્થી આશ્રમ’, ‘સહયોગ કૃષ્ઠયજ્ઞ’, ‘ભીલ સેવામંડળ’, ‘આર્ચ’, ‘દિશા, સાવલિયા રિસર્ચ સેન્ટર’, ‘ગિજુભાઈ બાળ અકાદમી’, ‘અધિકાર’, ‘સૃષ્ટિ’ વગેરે જેવી 39 સંસ્થાઓની વાત છે.