Menu
નવસારીનું શ્રી સ્વામિનારાયણ સાંસ્કૃતિક ગૌ ધામ: છ મહિનામાં 1.5 લાખ મુલાકાતીઓ સાથે બન્યું દક્ષિણ ગુજરાતનું આકર્ષણ કેન્દ્ર
નવસારીનું શ્રી સ્વામિનારાયણ સાંસ્કૃતિક ગૌ ધામ: છ મહિનામાં 1.5 લાખ મુલાકાતીઓ સાથે બન્યું દક્ષિણ ગુજરાતનું આકર્ષણ કેન્દ્ર
Published on: 14th June, 2025

નવસારીના ગણદેવી રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ સાંસ્કૃતિક ગૌ ધામ દક્ષિણ ગુજરાતનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે, જેને લોકો 'મીની પોઈચા' કહી ઓળખે છે. છેલ્લા છ મહિનામાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં આવ્યા છે. ગૌ ધામ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે: પ્રથમમાં ગૌશાળા અને દર્શન, જ્યાં વિવિધ સર્કલ્સ, ફુવારા અને ભગવત ચરિત્ર છે; બીજું જ્ઞાન અને પ્રેરણા કેન્દ્ર છે, જેમાં 10 સાંસ્કૃતિક પ્રદર્શનો, મલ્ટીમીડિયા શો, મિરર હાઉસ અને નેચરલ પાર્ક છે; ત્રીજું જળક્રીડા માટે વિશાળ સ્વિમિંગ પૂલ આવેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને કામધેનુ ગાયની મૂર્તિઓ સ્થાપિત છે.