નેપાળમાં ભયાનક પૂર: 157 મોત, 700 થી વધુ ગુમ
નેપાળમાં ભયાનક પૂર: 157 મોત, 700 થી વધુ ગુમ
Published on: 27th August, 2026

નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 157 લોકો મૃત્યુ પામ્યા છે અને 700 થી વધુ લોકો ગુમ થયા છે, જેમાં 133 ભારતીયો સામેલ છે. આ પૂરને કારણે અનેક વિસ્તારોમાં પરિવહન અને સંદેશાવ્યવહાર માળખાને ભારે અસર થઈ છે. 35 પુલ અને 45 ઝૂલતા પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક ખોરવાઈ ગયો છે. 13 જળવિદ્યુત પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે. નેપાળ સેનાએ 250 થી વધુ લોકોને બચાવ્યા છે. ગુમ થયેલા ભારતીયોમાં મોટાભાગના કૈલાશ-માનસરોવર યાત્રાળુઓ છે.