ઇઝરાયેલે અમેરિકાનું જહાજ કેમ ફૂંકી માર્યું?
ઇઝરાયેલે અમેરિકાનું જહાજ કેમ ફૂંકી માર્યું?
Published on: 25th March, 2026

યુદ્ધ માત્ર દેખાય છે એટલું જ હોતું નથી; તેના કારણો, રાજકારણ અને સમીકરણો આસાન નથી હોતા. ઘણીવાર જંગ માટેનાં કારણો ભ્રમ હોય છે. ઇરાકના 'વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન'નું ‘નેરેટિવ’ તેનું ઉદાહરણ છે. 1967માં ઇઝરાયેલ દ્વારા અમેરિકાના જહાજ ‘યુએસએસ લિબર્ટી’ પર થયેલા હુમલાની ઘટના આજે પણ વિવાદાસ્પદ છે, જેમાં 34 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે તેને ‘દુઃખદ અકસ્માત’ કહ્યો, પરંતુ હુમલાના હેતુ અંગે વિવાદ ચાલુ રહ્યો.