ભારત-થાઇલેન્ડ ‘મૈત્રી-XV’ સંયુક્ત સૈન્ય કવાયત માટે ભારતીય દળ થાઈલેન્ડ રવાના
૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ, ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી-XV (MAITREE-XV) માટે ભારતીય સેનાની ટુકડી થાઈલેન્ડ જવા રવાના થઈ. આ ૧૫મા સંસ્કરણનો અભ્યાસ ૧૮ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન થાઈલેન્ડના સુરાત થાની ખાતે યોજાશે. આ કવાયતમાં કાઉન્ટર-ઈન્સર્જન્સી અને કાઉન્ટર-ટેરરિઝમ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં ખાસ કરીને જંગલ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સંયુક્ત લશ્કરી તાલીમનો સમાવેશ થાય છે.
ભારત-થાઇલેન્ડ ‘મૈત્રી-XV’ સંયુક્ત સૈન્ય કવાયત માટે ભારતીય દળ થાઈલેન્ડ રવાના
તહેવારોમાં વિમાન ભાડાની લૂંટ: નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો, સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
તહેવારો અને રજાઓમાં હવાઈ ટિકિટના આડેધડ ભાવ વધારા પર સુપ્રીમ કોર્ટે એરલાઇન્સને કડક ચેતવણી આપી છે. જો નિયમોનું પાલન નહીં થાય તો ઉડાનો રોકવાની સૂચના આપી છે. એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું કે, હવાઈ ભાડા સંબંધિત નિયમો અંતિમ તબક્કામાં છે અને પૂર્ણ થવામાં 3 અઠવાડિયા લાગશે. અરજીકર્તાએ ખાનગી એરલાઇન્સ દ્વારા અન્યાયી ભાડા અને ચાર્જિસ અંગે નિયામક સંસ્થા બનાવવાની માંગ કરી હતી. અગાઉ પણ કોર્ટે એરલાઇન્સની મનમાનીને મુસાફરોનું શોષણ ગણાવ્યું હતું. આગામી સુનાવણી 7 સપ્ટેમ્બર 2026ના રોજ થશે.
તહેવારોમાં વિમાન ભાડાની લૂંટ: નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો, સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
દુર્લભ બીમારીથી પીડાતા અને છેલ્લાં પાંચ વર્ષથી તળાવમાં રહેતા યુવક ઈકબાલની મદદે રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર અનંત અંબાણી આગળ આવ્યા છે. ઈકબાલ શરીરની અસહ્ય બળતરાથી રાહત મેળવવા તળાવના ઠંડા પાણીનો સહારો લેતો હતો. સોશિયલ મીડિયામાં તેની કરુણ વ્યથા વાયરલ થયા બાદ અનંત અંબાણીના નિર્દેશથી ઈકબાલને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ સ્થિત સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેની તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે.
5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
જાહેર ક્ષેત્રની બૅન્કોના NPA ઐતિહાસિક નીચા સ્તરે
NPA એટલે 90 દિવસથી વધુ સમય સુધી વ્યાજ કે મુદ્દલ બાકી રહે તેવું લોન ખાતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે જાહેર ક્ષેત્રની બૅન્કોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેમના Non-Performing Assets (NPAs) ઐતિહાસિક રીતે સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. 31 માર્ચ 2026ના રોજ આ સ્થિતિ જોવા મળી હતી. આ સાથે FY 2025-26માં જાહેર ક્ષેત્રની બૅન્કનો કુલ નફો પણ ₹1.98 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
જાહેર ક્ષેત્રની બૅન્કોના NPA ઐતિહાસિક નીચા સ્તરે
ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવી બાંગ્લાદેશે ડાર્વિનમાં ટેસ્ટ ઇતિહાસ રચ્યો
બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 9 વિકેટે પરાજય આપી ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. ડાર્વિનના મારારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે 57 રનના લક્ષ્યાંકને એક વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. આ જીત સાથે ટીમે બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ ઇનિંગમાં છ અને બીજી ઇનિંગમાં 3 મળી કુલ 9 વિકેટ ઝડપનારા હસન મહમુદને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવી બાંગ્લાદેશે ડાર્વિનમાં ટેસ્ટ ઇતિહાસ રચ્યો
મહિલા હોકી વર્લ્ડકપ: ભારત-ચીન વચ્ચે રોમાંચક મેચ 2-2 થી ડ્રો
મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરતાં ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીન સામે 2-2 થી મેચ ડ્રો કરી. નવનીત અને દીપિકાએ ગોલ કરીને ભારતને બે વાર લીડ અપાવી, પરંતુ ચીને બંને વખત બરાબરી કરી. બંને ટીમોએ અંતિમ ક્વાર્ટરમાં નિર્ણાયક ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. મેચ ડ્રોમાં પરિણમી. પુરુષ હોકી ટીમની વેલ્સ સામે જીત બાદ આ પરિણામ આવ્યું.
મહિલા હોકી વર્લ્ડકપ: ભારત-ચીન વચ્ચે રોમાંચક મેચ 2-2 થી ડ્રો
PM મોદીના 'દિમાગી નક્સલી' નિવેદન બાદ Instagram પર 'Dimagi Naxal Party'
15 ઓગસ્ટના રોજ PM મોદીએ 'દિમાગી નક્સલી' શબ્દનો ઉપયોગ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. આ નિવેદનના પ્રતિભાવમાં Instagram પર 'Dimagi Naxal Party' નામનું એક પેજ બન્યું. આ પેજ લાઈવ થયાના 24 કલાકમાં 1.8 લાખથી વધુ ફોલોઅર્સ મેળવી ચૂક્યું છે, જે તેની ઝડપી લોકપ્રિયતા દર્શાવે છે. X (Twitter) અને Facebook પર પણ આવા પેજ બની રહ્યા છે. આ પેજ કોણે બનાવ્યું છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તેનો સંદેશ 'Think | Research | Resist' અને તેને રાજકીય કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યો છે.
PM મોદીના 'દિમાગી નક્સલી' નિવેદન બાદ Instagram પર 'Dimagi Naxal Party'
દિગ્વેશ રાઠીનો ક્રિકેટના મેદાનમાં ફરી પંગો!
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના સ્પિનર દિગ્વેશ રાઠી ફરી એક વખત પોતાના વિવાદાસ્પદ ‘નોટબુક સેલિબ્રેશન’ને લઈને ચર્ચામાં છે. દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં, પુરાની દિલ્હી 6 અને આઉટર દિલ્હી વોરિયર્સ વચ્ચેની મેચમાં, દિગ્વેશે પ્રિયાંશ આર્યને આઉટ કર્યા બાદ તેની પાછળ દોડીને આક્રમક ઉજવણી કરી હતી. ભૂતકાળમાં IPL 2025 દરમિયાન આવી જ ઉજવણી બદલ તેના પર દંડ અને પ્રતિબંધ લાગ્યો હતો. આ વખતે, વિકેટ લીધા બાદ દિગ્વેશે બેટ્સમેનની ખૂબ નજીક જઈને સેલિબ્રેશન કર્યું, જેણે ફરી વિવાદ જગાવ્યો છે. DPL પ્રશાસન આ વર્તન સામે કડક પગલાં લે છે કે કેમ તે જોવાનું રહેશે.
દિગ્વેશ રાઠીનો ક્રિકેટના મેદાનમાં ફરી પંગો!
ભારતના કાપડ છે શાહી વારસાની ઓળખ!
ભારતીય કાપડ તેની સુંદરતા અને વૈભવ ઉપરાંત વર્ષો જૂની પરંપરા, પેઢીઓથી મળતું વણાટનું જ્ઞાન અને કલાકારોની અદભુત કારીગરી ધરાવે છે. 'ક્વાયેટ લક્ઝરી' અને 'હેરિટેજ ડ્રેસિંગ' જેવા શબ્દો લોકપ્રિય બન્યા તે પહેલાંથી ભારતના કારીગરો મહિનાઓની મહેનત અને અનેક પેઢીઓના અનુભવથી ટેક્સટાઇલ તૈયાર કરતા આવ્યા છે. આ વિશિષ્ટતા ધરાવતા પાંચ ભારતીય ટેક્સટાઇલને Geographical Indication (GI) ટેગ મળ્યો છે. આ ટેગ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલી ઉત્પાદનની ગુણવત્તા અને પ્રતિષ્ઠાને સત્તાવાર ઓળખ આપે છે.
ભારતના કાપડ છે શાહી વારસાની ઓળખ!
ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પક્ષના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમની જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP) એ અધ્યક્ષ નીતિન નબીનની આગેવાની હેઠળ નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમની જાહેરાત કરી છે. આ ફેરફારમાં અનુભવી નેતાઓ સાથે નવા ચહેરાઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ, ઉપાધ્યક્ષ, સંગઠન, નાણાકીય જવાબદારીઓ અને વિવિધ મોરચાઓના અધ્યક્ષોની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાંથી વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પક્ષના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમની જાહેરાત
45 વર્ષ બાદ લક્ઝરી બસ લૂંટનો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો
વડોદરા નજીક કરજણ હાઇવે પર 45 વર્ષ પહેલા લક્ઝરી બસમાં મુસાફરોને લૂંટનાર એક ફરાર આરોપીને ઉત્તરપ્રદેશમાંથી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. 1981માં રાજકોટથી મુંબઈ જતી બસના ડ્રાઇવરને બંદૂકની અણીએ રોકી, મુસાફરો પાસેથી રોકડ, ઘડિયાળ અને સોનાના દાગીના મળી કુલ રૂ.33 હજારની લૂંટ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણ ફરાર હતો. તે ઉત્તરપ્રદેશમાં નામ બદલીને રહેતો હતો, જેની માહિતી મળતાં પોલીસે તેને તેના ઘરેથી ઝડપી રાજકોટ લાવવામાં આવ્યો.
45 વર્ષ બાદ લક્ઝરી બસ લૂંટનો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો
ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો: સ્મૃતિ ઈરાની અને ગુજરાતના નેતાઓને નવી જવાબદારી
ભાજપ અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્મૃતિ ઈરાનીને મહા સચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નવી ટીમમાં યુવાનો, મહિલાઓ અને જાતિગત સમીકરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ચાર અગ્રણી ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ, તથા હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો: સ્મૃતિ ઈરાની અને ગુજરાતના નેતાઓને નવી જવાબદારી
PM મોદીની 'દિમાગી નક્સલ' ટિપ્પણી પર કેજરીવાલ મેદાને
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM મોદીની 'દિમાગી નક્સલ' ટિપ્પણીનો જવાબ આપતા પોતાને દેશભક્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જો ભગતસિંહ અને આંબેડકર જીવિત હોત, તો PM તેમને પણ 'દિમાગી નક્સલ' કહત. કેજરીવાલના મતે, જે લોકો પ્રશ્નો પૂછે, શિક્ષણ અને આરોગ્ય સુધારા ઈચ્છે, વિકસિત ભારતનું સ્વપ્ન જુએ અને ભાજપથી ડરતા નથી, તેઓ 'દિમાગી નક્સલ' છે. આ નિવેદન બાદ રાજકીય વિવાદ સર્જાયો છે, અને કોંગ્રેસે પણ PM મોદી પર નિશાન સાધ્યું છે.
PM મોદીની 'દિમાગી નક્સલ' ટિપ્પણી પર કેજરીવાલ મેદાને
સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે - ₹19,330 કરોડ કમાણી સાથે 'Infinity War'નો રેકોર્ડ તોડ્યો
'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ટોમ હોલેન્ડની આ ફિલ્મે માત્ર 17 દિવસમાં વૈશ્વિક બોક્સ ઓફિસ પર $2 Billion (₹19,120 કરોડ)નો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે, તે $2 Billion કમાણી કરનારી બીજી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે, માત્ર 'Avengers: Endgame' (11 દિવસ) પાછળ છે. ફિલ્મે ₹19,330 કરોડનું તોતિંગ કલેક્શન કર્યું છે, જેમાં નોર્થ અમેરિકામાં $785.8 Million અને આંતરરાષ્ટ્રીય સ્તરે $1.2 Billion નો સમાવેશ થાય છે.
સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે - ₹19,330 કરોડ કમાણી સાથે 'Infinity War'નો રેકોર્ડ તોડ્યો
US વિઝા નિયમમાં ફેરફાર
યુએસ વિઝા નિયમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે હવે તમામ વયના બાળકોને લાગુ પડશે. પહેલાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિઝા ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાની છૂટ હતી, પરંતુ હવે યુએસ એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે ઉંમરને ધ્યાનમાં લીધા વિના, દરેક સગીર અરજદારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવું ફરજિયાત છે. આ અંગેની જાહેરાત યુએસ એમ્બેસીએ 'X' પર 'Visa Friday' વીડિયો સેશન દ્વારા કરી છે. આ ફેરફારનો હેતુ વિઝા પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવાનો છે.
US વિઝા નિયમમાં ફેરફાર
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
આવક કરતાં વધુ મિલકતના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઈકોર્ટને નિર્દેશ આપ્યા છે કે રાહુલ ગાંધી સામેની કાર્યવાહી આગળ ન વધારવામાં આવે. આ સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સીબીઆઈ (CBI) જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ હાઈકોર્ટમાં કોઈ રિપોર્ટ દાખલ ન કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કાનૂની મોરચે મોટી જીત મળી છે.
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
જૂના વાહનો માટે E10 પેટ્રોલ ફરી લાવવાની મુખ્ય આર્થિક સલાહકારની સલાહ
E20 (20% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલ અંગે દેશભરમાં ચર્ચા છે, જ્યાં વાહનચાલકોને માઇલેજ ઘટવા અને એન્જિનના પાર્ટ્સને નુકસાન થવાની આશંકા છે. આ પરિસ્થિતિમાં, સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જૂના વાહનો માટે E10 જેવા ઓછા ઇથેનોલવાળા પેટ્રોલને ફરીથી ઉપલબ્ધ કરાવવાની સલાહ આપી છે. તેમણે સ્પષ્ટતા કરી કે E20 થી એન્જિનને નુકસાન થવાના દાવા સંપૂર્ણપણે સાચા નથી, પરંતુ જૂના કાર્બ્યુરેટરવાળા વાહનો અને રબર સીલ જેવી સમસ્યાઓ માટે E10 એક સારો વિકલ્પ બની શકે છે, જે ખેતી, પાણી અને ખાદ્ય સુરક્ષા પર અસર કર્યા વિના પેટ્રોલ વપરાશને વધુ કાર્યક્ષમ બનાવશે.
જૂના વાહનો માટે E10 પેટ્રોલ ફરી લાવવાની મુખ્ય આર્થિક સલાહકારની સલાહ
UPના મંત્રીનું વિવાદીત નિવેદન: 'મને ખાલી હિન્દુઓના વોટ જોઈએ, વિપક્ષ લઈ લે મુસ્લિમોના વોટ'
ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી ઠાકુર રઘુરાજ સિંહે અલીગઢમાં આપેલા નિવેદનમાં રાજકીય હોબાળો મચાવ્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપને માત્ર હિન્દુઓના વોટ જોઈએ છે, જ્યારે વિપક્ષ મુસ્લિમ મતદારોને ખુશ કરે. તેમણે અખિલેશ યાદવ પર મુગલો અને ટીપૂ સુલતાનને મહાન બતાવી વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. મંત્રીએ દાવો કર્યો કે હિન્દુત્વના દમ પર જ રાજ્યમાં ફરી ભાજપની સરકાર બનશે. તેમણે સંસદ ન ચાલવા દેવા અને મહિલા અનામત વિધેયકનો વિરોધ કરવા બદલ પણ વિપક્ષ પર નિશાન સાધ્યું.
UPના મંત્રીનું વિવાદીત નિવેદન: 'મને ખાલી હિન્દુઓના વોટ જોઈએ, વિપક્ષ લઈ લે મુસ્લિમોના વોટ'
વારંવાર બંધ થતાં હોર્મુઝથી કંટાળી નવો રસ્તો શોધાયો!
હોર્મુઝ સ્ટ્રેટ અને પરંપરાગત વેપાર માર્ગોમાં વધતા તણાવ વચ્ચે ચીન યુરોપ સુધી પહોંચવા માટે ‘આઇસ સિલ્ક રોડ’ નામના આર્કટિક સમુદ્રી માર્ગનો ઉપયોગ વધારવાની તૈયારી કરી રહ્યું છે. આ માર્ગથી ચીન-યુરોપ મુસાફરી લગભગ 20 દિવસમાં પૂર્ણ થઈ શકે છે. રશિયા સાથેના સહયોગથી વિકસતો આ માર્ગ ચીનને મલક્કા ડાઈલેમા ઘટાડવામાં મદદ કરી શકે છે અને વૈશ્વિક વેપાર-ભૂરાજનીતિમાં મહત્વનો બની શકે છે. ભારત પણ ઊર્જા સુરક્ષા અને યુરોપીય કનેક્ટિવિટી માટે 2027માં ટ્રાયલ જહાજ મોકલવાની યોજના ધરાવે છે.
વારંવાર બંધ થતાં હોર્મુઝથી કંટાળી નવો રસ્તો શોધાયો!
વિદેશમાં સેટલ થવા માટે આ છે દુનિયાના બેસ્ટ દેશો!
'ઈન્ટરનેશન્સ' દ્વારા જાહેર કરાયેલ 'એક્સપેટ ઈનસાઈડર સર્વે 2026' મુજબ, વિદેશ જઈને સ્થાયી થવા, ઉત્તમ રોજગાર અને શ્રેષ્ઠ જીવનશૈલી માટે પનામા વિશ્વનો શ્રેષ્ઠ દેશ બન્યો છે. પનામા સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમે રહ્યું છે, મેક્સિકો બીજા અને થાઈલેન્ડ ત્રીજા સ્થાને છે. જીવનની ગુણવત્તા, સ્થાનિક વાતાવરણમાં ભળી જવાની સરળતા, રોજગારી, આર્થિક સ્થિતિ અને રહેઠાણ જેવા માપદંડો પર આ સર્વે કરાયો. USA 20મા અને નોર્વે સૌથી છેલ્લા ક્રમે છે.
વિદેશમાં સેટલ થવા માટે આ છે દુનિયાના બેસ્ટ દેશો!
સ્પેનના દરિયાકિનારે હજારો પ્રવાસીઓનો હંગામો
સ્પેનના ઉત્તરી આફ્રિકા સ્થિત વિસ્તાર સ્યુટામાં ગેરકાયદે પ્રવેશ મેળવનારા સેંકડો પ્રવાસીઓએ દરિયાકિનારે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનો દાવો છે કે તેમને મોરોક્કો પાછા મોકલવાને બદલે સ્પેન સરકાર દ્વારા શરણ આપવામાં આવે. બે અઠવાડિયા પહેલા થયેલી મોટા પાયાની ઘૂસણખોરી બાદ અંદાજે 5000 થી 8000 પ્રવાસીઓ હજુ પણ સ્યુટામાં રોકાયેલા છે. આ પ્રવાસીઓ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા છે અને યુરોપના મુખ્ય ભૂમિભાગ તરફ આગળ વધવાની તકની રાહ જોઈ રહ્યા છે. સ્પેન સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર રીતે પ્રવેશનારાઓને રહેવા કે કાનૂની દરજ્જો નહીં મળે.
સ્પેનના દરિયાકિનારે હજારો પ્રવાસીઓનો હંગામો
મધ્યપ્રદેશમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ!
મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના બની છે, જ્યાં CRPFના 59 વર્ષીય જવાને 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. કુરકુરે આપવાના બહાને બાળકીને બોલાવીને આરોપીએ હેવાનિયત આચરી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે POCSO એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી જવાનની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ ધરાવતો આ જવાન રજા પર ઘરે આવ્યો હતો.
મધ્યપ્રદેશમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ!
ઉજ્જૈનમાં મહાકાલ પરિસરમાં નાગચંદ્રેશ્વર મંદિરે નાસભાગ
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પરિસરમાં નાગચંદ્રેશ્વર મંદિરમાં દર્શન માટે ઉમટેલી ભારે ભીડ વચ્ચે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વર્ષમાં માત્ર એક જ દિવસ માટે ખુલતા આ મંદિરના દર્શન માટે લાખો ભક્તો ઉમટ્યા હતા. બેરિકેડિંગ પાસે અચાનક દબાણ વધતાં સ્થિતિ વણસી અને કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના અહેવાલ છે. આ દુર્લભ દર્શનનો લાભ લેવા દેશભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉજ્જૈન પહોંચ્યા હતા.
ઉજ્જૈનમાં મહાકાલ પરિસરમાં નાગચંદ્રેશ્વર મંદિરે નાસભાગ
માગ નહીં સ્વીકારાય તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેજો!
રાંચીમાં પોતાની પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન 24મા દિવસે પ્રવેશ્યું છે. વિદ્યાર્થીઓએ માંગણીઓ સત્વરે પૂર્ણ ન થવા પર 20 ઓગસ્ટે મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે ચોથા તબક્કાની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જે અગાઉની નિષ્ફળ વાટાઘાટોને કારણે ખૂબ જ અગત્યની ગણાય છે. આંદોલનમાં ભૂખ હડતાળ પર બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિદ્યાર્થી નેતાઓએ ચેતવણી આપી છે કે, જો આ ચર્ચામાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
માગ નહીં સ્વીકારાય તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેજો!
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ
ઉજ્જૈનના મહાકાલ મંદિરના પરિસરમાં શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે લાગેલી લાઈનમાં અફરાતફરી મચી ગઈ. DP નજીક કરંટ ફેલાવાની અફવાને કારણે ભય ફેલાતાં શ્રદ્ધાળુઓમાં ભાગદોડ થઈ, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ચરક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હરિશ્ચંદ્ર નામના શ્રદ્ધાળુને પગમાં ગંભીર ઈજા થઈ. ઘટના બાદ દર્શન વ્યવસ્થા થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી, પરંતુ પોલીસ અને વહીવટી તંત્રએ પરિસ્થિતિ સંભાળી લીધી છે.
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ
રાહુલ ગાંધીએ હેમંત સોરેનને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા પત્ર લખ્યો
ઝારખંડમાં વિદ્યાર્થીઓ JPSC પેપર લીકનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ વચ્ચે ઝારખંડ સરકારમાં સહયોગી કોંગ્રેસ પાર્ટી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હવે એક્ટિવ થઈ ગયા છે. તેમણે આ મુદ્દે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો છે. સીએમ સોરેનને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ સલાહ આપી હતી કે તેઓ વ્યક્તિગત રીતે પ્રદર્શનકારીઓને મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે.
રાહુલ ગાંધીએ હેમંત સોરેનને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા પત્ર લખ્યો
અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માર્ગો પર, Gen-Z બાદ Gen-Alpha સરકારો માટે માથાનો દુઃખાવો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં Gen Alpha વિદ્યાર્થીઓએ શિક્ષકોની અછત અને ગેરવ્યવસ્થા સામે વિરોધ કરી બાલાગંજ ચોકડી પર ચક્કાજામ કર્યો. ત્રણ દિવસમાં બીજી વખત થયેલા આ પ્રદર્શનથી વાહનવ્યવહાર ખોરવાયો. દેશના અન્ય રાજ્યો જેવા કે હમીરપુર, અલ્વર, કન્નૌજ, બિહાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ Gen Alpha વિદ્યાર્થીઓ પક્કી સડક, જર્જરિત છત, મિડ-ડે મીલની ગુણવત્તા, પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય અને શિક્ષકોની નિમણૂક જેવી મૂળભૂત માંગણીઓ માટે સડકો પર ઉતરી આવ્યા છે, જે સરકારો માટે નવી માથાનો દુઃખાવો બની રહ્યા છે.
અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માર્ગો પર, Gen-Z બાદ Gen-Alpha સરકારો માટે માથાનો દુઃખાવો
હોટલમાં જમતા પહેલાં IAS તુકારામ મુંઢેની 4 ગોલ્ડન ટિપ્સ
આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં બહાર જમવું સામાન્ય બની ગયું છે. જોકે, બહારના ભોજનની સ્વચ્છતા અને શુદ્ધતા પર સવાલો ઊભા થયા છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ હોટલમાં જતાં પહેલાં 4 મહત્ત્વપૂર્ણ બાબતો પર ભાર મૂક્યો છે. જેમાં વધુ પડતો તેલ, ખાંડ, મીઠું અને મેંદાવાળા ખોરાકથી દૂર રહેવું, સ્વચ્છતા પર ધ્યાન આપવું, માન્ય લાયસન્સ ધરાવતી જગ્યા પસંદ કરવી અને પોતાની ઉંમર તથા શારીરિક જરૂરિયાત મુજબ ખોરાકની પસંદગી કરવી શામેલ છે. આ ટિપ્સ સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થશે.
હોટલમાં જમતા પહેલાં IAS તુકારામ મુંઢેની 4 ગોલ્ડન ટિપ્સ
વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વિમાન 'Aerospace X1' સફળ પરીક્ષણ ઉડાન
હર્ટ એરોસ્પેસ (Heart Aerospace) દ્વારા વિકસાવવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું ઓલ-ઇલેક્ટ્રિક વિમાન 'Aerospace X1' સફળતાપૂર્વક તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ પૂર્ણ કરી ચૂક્યું છે. 12 ઓગસ્ટે ન્યૂ યોર્કથી ઉડાન ભરીને આ વિમાને 27 મિનિટની ઉડાન દરમિયાન 1,100 ફીટની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. આ સમગ્ર ઉડાન દરમિયાન વીજળીનો ખર્ચ માત્ર $5 (₹480) થયો હતો. આ વિમાન એવિએશન સેક્ટરમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે.
વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વિમાન 'Aerospace X1' સફળ પરીક્ષણ ઉડાન
મુકેશ ખન્ના: 'જન ગણ મન' રાષ્ટ્રગાન નથી, 'વંદે માતરમ' બનવું જોઈએ
'શક્તિમાન' તરીકે જાણીતા અભિનેતા મુકેશ ખન્નાએ દેશના રાષ્ટ્રગાન 'જન ગણ મન' અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે માંગ કરી છે કે 'જન ગણ મન'ના સ્થાને 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન બનાવવામાં આવે. ખન્નાના મતે, 'જન ગણ મન' ક્વીન એલિઝાબેથને શ્રદ્ધાંજલિ સમાન છે, જ્યારે 'વંદે માતરમ' દેશની મૂળ ભાવના સાથે જોડાયેલું છે. તેમણે એવું પણ કહ્યું કે 'ભાગ્યવિધાતા', 'પંજાબ' અને 'સિંધ' જેવા શબ્દો પોતાના નથી લાગતા. ખન્ના આશા વ્યક્ત કરી છે કે PM મોદી આ દિશામાં ઝડપી નિર્ણય લેશે.
મુકેશ ખન્ના: 'જન ગણ મન' રાષ્ટ્રગાન નથી, 'વંદે માતરમ' બનવું જોઈએ
રાજસ્થાન સરકારની શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ અને ફોટો-વીડિયો પર પ્રતિબંધ
રાજસ્થાન સરકારે રાજ્ય સંચાલિત સરકારી શાળાઓમાં બહારના અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા પર કડક નિયંત્રણો લાદી દીધા છે. આ નિર્ણય 'શાળા ઠીક કરો' અભિયાન વચ્ચે લેવાયો છે, જેનો હેતુ શાળાઓમાં સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાનું ઓડિટ કરવાનો છે. સરકારના જણાવ્યા મુજબ, આ પગલાં બાળકોની ગોપનીયતા અને રાઈટ ટુ પ્રાઈવસીના રક્ષણ માટે લેવાયા છે. વિપક્ષે સરકાર પર પોતાની નિષ્ફળતા છુપાવવાનો આરોપ લગાવ્યો છે.