ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પક્ષના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમની જાહેરાત
ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા પક્ષના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમની જાહેરાત
Published on: 17th August, 2026

ભારતીય જનતા પાર્ટી (BJP) એ અધ્યક્ષ નીતિન નબીનની આગેવાની હેઠળ નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમની જાહેરાત કરી છે. આ ફેરફારમાં અનુભવી નેતાઓ સાથે નવા ચહેરાઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ, ઉપાધ્યક્ષ, સંગઠન, નાણાકીય જવાબદારીઓ અને વિવિધ મોરચાઓના અધ્યક્ષોની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાંથી વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ડૉ. હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.