198 માછીમારોની મુક્તિ માટે પરિવારોની સરકાર પાસે તાકીદની માંગ
198 માછીમારોની મુક્તિ માટે પરિવારોની સરકાર પાસે તાકીદની માંગ
Published on: 09th August, 2026

પાકિસ્તાનની જેલમાં બંધ 198 ભારતીય માછીમારોને 15 ઓગસ્ટે છોડાવવા પરિવારજનોએ વડાપ્રધાન મોદી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી છે. 178 માછીમારોની સજા પૂર્ણ થયા બાદ પણ 5 વર્ષથી વધુ સમયથી તેમને મુક્ત કરાયા નથી, જેના કારણે પરિવારો આર્થિક અને માનસિક પીડા ભોગવી રહ્યા છે. મહિલાઓએ જણાવ્યું કે, ઘરની તમામ જવાબદારી તેમના પર આવી ગઈ છે અને બાળકો પિતાની રાહ જોઈ રહ્યા છે. તેમને તાત્કાલિક છોડાવવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે.