છોટા ઉદેપુરમાં પૂર બાદ તંત્ર નિંદ્રાધીન
છોટા ઉદેપુરમાં પૂર બાદ તંત્ર નિંદ્રાધીન
Published on: 02nd August, 2026

છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. જશકી ગામમાં 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસતાં ગ્રામજનોને ભારે નુકસાન થયું છે. ત્રણ દિવસ બાદ પણ સરકારી સહાય ન મળતાં લોકોમાં રોષ છે. બીજી તરફ, ચોરામલ ગામનો બ્રિજનો એપ્રોચ ધોવાઈ જતાં ત્રણ દિવસથી વાહનવ્યવહાર ઠપ છે, જેના કારણે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. ગ્રામજનો પીવાના પાણીની અછત અને તંત્રની બેદરકારી સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.