અરવલ્લીમાં દોઢ લાખ હેક્ટર વાવેતરને વરસાદથી ફાયદો
અરવલ્લીમાં દોઢ લાખ હેક્ટર વાવેતરને વરસાદથી ફાયદો
Published on: 28th July, 2026

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી મહેર છે. સોમવારે સાઠંબા અને બાયડ તાલુકામાં સવા ઈંચ, જ્યારે મેઘરજ, માલપુર અને ધનસુરામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. આ વરસાદને કારણે દોઢ લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવણી થયેલા ચોમાસુ પાકોને જીવનદાન મળ્યું છે. જૂનના અંત અને જુલાઈના શરૂઆતના સમયગાળામાં થયેલી આ વાવણીમાં મુખ્યત્વે કપાસ, મગફળી, દિવેલા અને કઠોળ જેવા પાકોનો સમાવેશ થાય છે. જોકે, 45 હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં હજુ વાવણી બાકી છે.