નાના અંકેવાળીયા ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને પાણી નિકાલની માંગ સાથે આવેદન
નાના અંકેવાળીયા ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને પાણી નિકાલની માંગ સાથે આવેદન
Published on: 28th July, 2026

લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામના ખેડૂતોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદનપત્ર સુપરત કર્યું. ગામના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટેનો માર્ગ અન્ય ખેડૂતો દ્વારા બંધ કરી દેવાતા 200 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાયા હતા. આનાથી પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. ગ્રામજનોએ બંધાયેલા બંધારા તાત્કાલિક દૂર કરી પાણી નિકાલની માંગ કરી હતી. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી.