સુરેન્દ્રનગર મનપાની સામાન્ય સભામાં 12 કમીટી ચેરમેનોની વરણી
સુરેન્દ્રનગર મનપાની સામાન્ય સભામાં 12 કમીટી ચેરમેનોની વરણી
Published on: 28th July, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની સામાન્ય સભામાં કમિશ્નર અને મેયરની ઉપસ્થિતિમાં 12 વિવિધ કમિટીના ચેરમેનોના નામ જાહેર કરાયા. આ સાથે શહેરમાં વિકાસના કામોને વેગ આપવા અને પશુનિભાવ માટે એમઓયુ સહિતના અનેક વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવામાં આવી. સુરેન્દ્રનગર મનપામાં ભાજપના શાસન બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ચેરમેનોની વરણી થતાં શહેરમાં વિકાસ કાર્યો ઝડપી બનશે તેવી આશા છે. આ સભામાં જૂના અનુભવી અને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.