ગાંધીનગરના સંત સરોવર ડેમના 10 ગેટ ખોલાયા
ગાંધીનગરના સંત સરોવર ડેમના 10 ગેટ ખોલાયા
Published on: 01st August, 2026

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. ગાંધીનગરની જીવાદોરી સમાન સંત સરોવર ડેમમાં 1380 ક્યુસેક પાણીની આવક થતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમની જળસપાટી 50.70 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં વરસાદ વધતાં પાણીની આવક વધુ થવાની શક્યતા છે. Sant Sarovar માંથી પાણી છોડાતા સાબરમતી નદીના પટમાં પાણી વધ્યું છે, જેથી ગાંધીનગર જિલ્લાના 21 નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને અને પશુઓને ન જવા સૂચના અપાઈ છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.