છોટા ઉદેપુરના નસવાડી તાલુકાનું ધનિયા-ઉમરવા તળાવ ઓવરફ્લો
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાનું ધનિયા-ઉમરવા તળાવ ઓવરફ્લો
Published on: 01st August, 2026

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ધનિયા-ઉમરવા તળાવ ઓવરફ્લો થયું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી (TDO)એ તળાવની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને તલાટી-કમ-મંત્રીઓને ગામોને એલર્ટ કરવા સૂચના આપી છે. આ તળાવ આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવશે, જેનાથી રવિ અને ઉનાળુ પાકને ફાયદો થશે. વધારાનું પાણી અશ્વિન નદીમાં વહી રહ્યું છે, જેથી નદી કિનારે આવેલા ગામોને પણ સાવચેતી રાખવા જણાવાયું છે.