સુરત, નવસારી, વલસાડમાં પૂરે ૧૦,૦૦૦ ટન ઝીંગા તણાયા
સુરત, નવસારી, વલસાડમાં પૂરે ૧૦,૦૦૦ ટન ઝીંગા તણાયા
Published on: 28th July, 2026

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરે ઝીંગા ઉછેર ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સુરત, નવસારી અને વલસાડના ૧૬૦૦ થી વધુ ઝીંગા તળાવો પૂરમાં ધોવાઈ ગયા છે. લણણી માટે તૈયાર ૧૦,૦૦૦ ટનથી વધુ ઝીંગા વહી જતાં ખેડૂતોની વર્ષોની મહેનત પાણીમાં ગઈ છે. આ નુકસાનથી નાના અને મધ્યમ ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ઝીંગા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકોની રોજગારી પર પણ અસર પડી છે. સરકાર દ્વારા નુકસાનનો સર્વે શરૂ કરાયો છે.