કડાણા ડેમમાં 48% પાણી: 8 જિલ્લાની સિંચાઈ અને 156 ગામોના પીવાના પાણી પર સંકટ
કડાણા ડેમમાં 48% પાણી: 8 જિલ્લાની સિંચાઈ અને 156 ગામોના પીવાના પાણી પર સંકટ
Published on: 03rd August, 2026

જુલાઈના અંત સુધીમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરના મુખ્ય ડેમોમાં સરેરાશ 50% પાણી બચ્યું છે. કડાણા ડેમમાં 48%, કબૂતરી ડેમમાં 47% અને ભાદર ડેમમાં માત્ર 16% પાણી છે. જો ઓગસ્ટમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, તો 156 ગામોના પીવાના પાણી અને 8 જિલ્લાની સિંચાઈ પર ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. વરસાદની અછતને કારણે ખેડૂતો અને પાલિકા-તંત્રમાં પાણીની સ્થિતિ અંગે ચિંતા વધી રહી છે. ત્રણ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં વરસાદથી જળાશયોમાં 2% નો વધારો થયો છે, પરંતુ સારા વરસાદની તાતી જરૂર છે.