બનાસકાંઠાના કાંકરેજમાં વીજળી પડવાથી બે ભેંસના મોત
બનાસકાંઠાના કાંકરેજમાં વીજળી પડવાથી બે ભેંસના મોત
Published on: 03rd August, 2026

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામે શનિવારે ભારે વરસાદ દરમિયાન આકાશી વીજળી પડતાં વેલુભા રણછોડભા વાઘેલા નામક ખેડૂતના ખીલે બાંધેલી બે ભેંસના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનાથી ખેડૂત પરિવારમાં શોક ફેલાયો છે, કારણ કે તેમનો પરિવાર પશુપાલન અને ડેરી વ્યવસાય પર નિર્ભર છે. દૂધ વેચાણથી મળતી આવક મુખ્ય હોવાથી આ નુકસાન ખૂબ મોટું છે. સરપંચે વહીવટી તંત્રને જાણ કરી, પશુ ચિકિત્સક અને તલાટીને બોલાવી પંચનામું કરાવ્યું. સરકારે સહાય આપવાની ખાતરી આપી છે.