આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા સલમાન ખાન
આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા સલમાન ખાન
Published on: 28th July, 2026

આસામમાં થયેલ ભયાનક પૂરથી 6 લાખથી વધુ લોકો બેઘર થયા છે અને 68 લોકોના મોત થયા છે. આ કપરા સમયમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને Being Human ફાઉન્ડેશન અને પોતાના ફેન ક્લબ દ્વારા પૂર પીડિતોની મદદ માટે મોટો હાથ લંબાવ્યો છે. મુંબઈથી જ આયોજિત આ રાહત અભિયાનમાં શિવસાગર અને ગુવાહાટી વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ, પીવાનું શુદ્ધ પાણી, મોસ્કિટો કોઈલ્સ અને સેનિટરી પેડ્સનું વિતરણ થઈ રહ્યું છે. આગામી તબક્કામાં દવાઓ અને હોસ્પિટલોના પુનઃનિર્માણનું પણ આયોજન છે.