બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
Published on: 28th July, 2026

ગુજરાતના બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીના જૂના નિવેદનને લઈને કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. જોશીએ કહ્યું હતું કે, 'મને આમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે.' આ નિવેદન સામે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'ભાજપે એક એવા વ્યક્તિને બેસાડ્યા છે જે દુષ્કર્મીઓના રક્ષક છે?' પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, 'વડાપ્રધાને નવા શિક્ષણ મંત્રી તરીકે એવા વ્યક્તિને સત્તા પર બેસાડ્યા છે જેમણે એક ગર્ભવતી મહિલાના દુષ્કર્મીઓની મુક્તિ પર પોતાની સંમતિ આપી હતી.'