ઉપરવાસમાંથી 22 હજાર કયુસેક પાણીની આવક, નર્મદા ડેમ 70% ભરાયો
ઉપરવાસમાંથી 22 હજાર કયુસેક પાણીની આવક, નર્મદા ડેમ 70% ભરાયો
Published on: 28th July, 2026

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 128.40 મીટર નોંધાઇ છે, જે એક દિવસમાં 22 સેમી વધી છે. ઉપરવાસમાંથી 22 હજાર કયુસેક પાણીની આવક છે. રાજ્યની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત માટે 1748 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવાને કારણે ડેમની સપાટીમાં વધઘટ જોવા મળી રહી છે. ડેમ હાલ 70% જેટલો ભરાઈ ગયો છે.