રોકાણકારોની સંખ્યામાં આઠ વર્ષથી ઓછા સમયમાં પાંચ ગણો વધારો
રોકાણકારોની સંખ્યામાં આઠ વર્ષથી ઓછા સમયમાં પાંચ ગણો વધારો
Published on: 30th July, 2026

નાણાં વર્ષ ૨૦૧૯માં ૨.૭૦ કરોડની સરખામણીએ દેશમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટરોની સંખ્યા પાંચ ગણી વધી ૧૩.૨૦ કરોડ પર પહોંચી ગઈ છે. શેરબજાર કમાણીનો સરળ માર્ગ બનતા રિટેલ રોકાણકારોના આકર્ષણમાં જોરદાર વધારો થયો છે. કોવિડ બાદના ગાળામાં રોકાણકારોનો ઉમેરો ધીમો પડ્યો છે. હાલમાં નોંધાયેલા ચારમાંથી ત્રણ ઈન્વેસ્ટર્સ નાણાં વર્ષ ૨૦૧૯ બાદ બજારમાં પ્રવેશ્યા છે. છેલ્લા એક કરોડનો ઉમેરો માત્ર છ મહિનામાં થયો છે, જેના કારણે ૧૩ કરોડનો આંક પાર થયો છે. રોકાણકારોની સંખ્યામાં સૌથી વધુ ઉમેરો ઉત્તર ભારત વિસ્તારમાંથી થયો છે, જ્યાં ૪.૧૧ કરોડ રોકાણકારો જોડાયા છે. મહારાષ્ટ્ર ૨.૧૦ કરોડ ઈન્વેસ્ટરો સાથે પ્રથમ સ્થાને છે.