શેરબજારમાં કેશ અને ડેરિવેટિવ્સના દૈનિક ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો
શેરબજારમાં કેશ અને ડેરિવેટિવ્સના દૈનિક ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો
Published on: 30th July, 2026

જુલાઈ માસમાં ભારતીય શેરબજારમાં નવા ધિરાણ નિયમો અને વધેલા સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)ને કારણે કેશ તથા ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ તથા એનએસઈના ડેટા મુજબ, કેશ સેગમેન્ટમાં ટર્નઓવર ૯.૨૦% ઘટીને ₹૧.૨૯ લાખ કરોડ થયું છે, જે સાત મહિનાની નીચી સપાટી છે. ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પણ ૮% ઘટાડો નોંધાયો છે. બેન્ક ગેરન્ટીના નિયમોમાં થયેલા ફેરફાર અને IPOs દ્વારા ભંડોળ બ્લોક થવાને કારણે બજાર પર અસર પડી છે.